બંધ

    સેન્ટ જેરોમનો કિલ્લો, દમણ

    દમણને તેના ગુજરાતી શાસક પાસેથી 1531 માં પોર્ટુગીઝોએ લીધું હતું,પરંતુ ગુજરાતના સુલતાન બહાદુર શાહે 1559 માં માત્ર સત્તાવાર રીતે પોર્ટુગીઝને સોંપ્યું હતું. ગુજરાતના સુલતાન બહાદુર શાહ દ્વારા શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા પછી 1539 માં દીવ એક પોર્ટુગીઝ કોલોની બની. પ્રદેશો 1961માં મુક્તા થયા ત્યાં સુધી પોર્ટુગીઝ વસાહતોમાં રહ્યા.દમણમાં સેન્ટ જેરોમ કિલ્લાના ઈતિહાસિક કિલ્લાના સ્થળની મુલાકાત તમને તે સ્થળના ઇતિહાસ વિશે સ્પષ્ટ સમજ આપશે.
    જ્યારે તમે સેન્ટ જેરોમના દમણ ફોર્ટના સંકુલમાં પ્રવેશતાની સાથે તમને સૌ પ્રથમ સેન્ટ જેરોમની વિશાળ પ્રતિમા સાથે નદીનો કિનારો અને ઉમદા પ્રવેશદ્વાર જોશે . જે કેથોલિક ચર્ચના સૌથી પ્રખ્યાત પાદરીઓમાંથી એક હતો. સેન્ટ જેરોમ, જેનો જન્મ યુસેબિયસ હિઅરનામ સોફ્રોનિયસ હતો, તે પશ્ચિમી ચર્ચના ફાધર્સમાં સૌથી વિદ્વાન હતા. તેનો જન્મ લગભગ ઈ.સ. 342ની સાલમાં એડ્રિએટીકના વડાના નાનકડા શહેર સ્ટ્રિડોનિઅસમાં થયો હતો. કિલ્લાની અંદરની મુખ્ય ઇમારત એ પ્રભાવશાળી ચર્ચ ઓફ અવર લેડી ઑફ ધ સી છે. આ કેથોલિક ચર્ચ ઑફિસની પ્રારંભિક બેઠકોમાંની એક છે અને શાનદાર પેનલિંગ (લાકડાની દીવાલ ઉપરની કોતરણિકાલા) સાથે એક ઉત્તમ વેદી છે. પ્રાચીન કિલ્લાની ચારે તરફની દીવાલ એક એક સારી જગ્યા છે જ્યાંથી માછલી બજાર અને નાના માછીમારો હોડીઓમાં લંગર સાથે આવે છે તેને સ્પષ્ટપણે જોઈએ શકાય છે તેને
    જેને સેન્ટ જેરોમનો કિલ્લો પણ કહેવામાં આવે છે. નાના દમણ દમણ ગંગા નદીના કાંઠે સ્થિત છે. તે એક નાનો કિલ્લો છે જેની ઉપર ઊંચી અને રમણીય પથ્થરની દિવાલો છે. આ કિલ્લાના ત્રણ બુર્જ અને બે વિશાળ પ્રવેશદ્વાર છે. જે આશરે 12,250 ચોરસ મીટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે .વળી આ કિલ્લાની દીવાલ પર બે માનવ આકૃતિનું નિરૂપણ કરવામાં આવે છે. કેથોલિક હુકમ થી આ કિલ્લાનું નામ સેન્ટ જેરોમ રાખવામા આવ્યું છે .આ કિલ્લો આગળના દરવાજા પર સંતની એક ભવ્ય પ્રતિમાનું ઘર છે અને તેમાં એક સમુદ્ર કેથોલિક ચર્ચ ઓફ અવર લેડી ઑફ ધ સી છે.જે તેની શુદ્ધ પેનલિંગ(આકર્ષક લાકડાની વેદી) માટે જાણીતું છે. કિલ્લાની નજીક આવેલા અન્ય આકર્ષણોમાં ગાંધી પાર્ક,જે નાની દમણ જેટીની પાસે આવેલ છે.

    સંપર્ક વિગતો

    સરનામું: દમણ

    સંત જેરોમ કિલ્લો નાના દમણ

    કેવી રીતે પહોંચવું

    વિમાન દ્વારા

    દમણના નજીકના એરપોર્ટ મુંબઇ (170 કિ.મી.) અને સુરત (90 કિ.મી.) છે. મુંબઇ માટે દેશના તમામ મોટા એરપોર્ટો પરથી ફ્લાઇટ્સ સરળતાથી મળી રહે છે. સુરત દિલ્હીથી ફ્લાઇટ દ્વારા જોડાયેલ છે. સૌથી નજીકનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઇમાં છે.

    ટ્રેન દ્વારા

    દમણ જવા માટેનું નજીકનું રેલ્વે સ્ટેશન વાપી ખાતે છે, જે લગભગ 12 કિમી દૂર સ્થિત છે. તે પશ્ચિમ રેલ્વેના મુંબઇ-અમદાવાદ રૂટ પર આવેલું છે અને તે મુંબઇથી લગભગ 170 કિમી અને સુરતથી 90 કિમી દૂર છે. મુખ્ય દિલ્હી-મુંબઇ અને મુંબઇ-અમદાવાદ ટ્રેનો આ સ્ટેશન પર અટકે છે. દમણથી ટ્રેનમાં જતા લોકો વાપી પહોંચે છે અને ત્યારબાદ લોકલ બસો અથવા ટેક્સીઓ દ્વારા દમણ પહોંચે છે.

    માર્ગ દ્વારા

    દમણ સરળતાથી માર્ગ દ્વારા પહોંચી શકાય છે, અને નજીકના કેટલાક મોટા શહેરો સાથે જોડાયેલ છે, જે માર્ગમાર્ગોની સારી વ્યવસ્થા જાળવી રાખે છે. વાપી, 12 કિ.મી.ના અંતરે, મુંબઇ - અમદાવાદ નેશનલ હાઇવે નંબર 8 પર આવેલું છે અને દમણથી સહેલાઇથી માર્ગ દ્વારા જોડાયેલ છે. આ શહેર મુંબઇથી 170 કિમી, અમદાવાદથી 360 કિમી, દીવથી 768 કિમી, સુરતથી 110 કિમી અને વડોદરાથી 300 કિમી દૂર છે.